વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સોઃ સુરતમાં બોર્ડની પરીક્ષા પહેલાં જ ધો.10ની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત

અડાજણમાં ધોરણ 10ની વિદ્યાર્થિની હિર મોઢિયાએ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સંસ્કાર ભારતી સ્કૂલમાં ચાલતી પ્રિલિમરી પરીક્ષામાં ગુજરાતીનું પેપર સારું ન જતા માનસિક તણાવમાં આવી ગયેલી વિદ્યાર્થિનીએ આપઘાત કરી જીવન ટુંકાવી લીધું હતું.

સ્કૂલમાં બોર્ડની પરીક્ષા પહેલા પ્રિલિમરી પરીક્ષા ચાલતી હતી

અડાજણમાં આવેલી પારસ સોસાયટીમાં હિર અમિતભાઈ મોઢિયા(ઉ.વ.15) એક ભાઈ અને માતા પિતા સાથે રહેતી હતી. હિરના પિતા એસ્સાર સ્ટીલમાં સિનિયર મેનેજર છે. હિર સંસ્કાર ભારતી સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. હાલ હિરની સ્કૂલમાં બોર્ડની પરીક્ષા પહેલા પ્રિલિમરી પરીક્ષા ચાલતી હતી. 29મીએ ગુજરાતીનું પેપર આવીને ઘરે આવ્યા બાદ માનસિક તણાવમાં હતી. હિરે જણાવ્યું હતું કે, પેપર સારું નથી ગયું. ત્યારબાદ 30મીએ ગણિતનું પેપર સારું ગયું હતું અને આજના પેપરની તૈયારી કરતી હતી.

માતા ઘરવખરી લેવા ગઈ ને વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો

ગત રોજ સાંજે હિર ગણિતનું પેપર આપી ઘરે પરત ફરી હતી. ગણિતનું પેપર પણ સારું ગયું હતું. જોકે, ગુજરાતીનું પેપર સારું ન ગયું હોવાથી માનસિક તણાવમાં હતી. દરમિયાન હિરની માતા ઘરવખરી લેવા માટે ઘરની બહાર નીકળતા જ હિરે ઘરના હોલમાં જ પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કરી લીધો હતો. હાલ વિદ્યાર્થિનીનું પોસ્મોર્ટમ ચાલી રહ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પહેલાં વિદ્યાર્થિનીનો પહેલો આપઘાતનો કેસ સામે આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો