ધોરાજી લેઉવા પટેલ જાગૃતિ મંડળ દ્વારા ૨૧મો સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે સંપન્ન

ધોરાજી લેઉવા પટેલ જાગૃતિ મંડળ દ્વારા લેઉવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ જેતપુર રોડ ખાતે ૨૧ મો સમૂહ લગ્ન મહોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો જેમાં ૨૪ નવદંપતિઓ પ્રભુતામાં પગલાં પાડયા હતા.

આ પ્રસંગે ધોરાજી લેઉવા પટેલ જાગૃતિ મંડળના પ્રમુખ રામજીભાઈ માથુકિયા મંત્રી પોપટભાઈ વૈષ્ણવ ખજાનચી નરસિંહભાઇ પાદ્યડાર વિઠ્ઠલભાઈ બાબરીયા ધીરુભાઈ કોયાણી ખીમજીભાઈ પાદરિયા ડી.કે અંટાળા મનસુખભાઈ વઘાસિયા રસિકભાઈ વૈષ્ણવ જયંતીભાઈ વઘાસિયા, ધીરુભાઈ વઘાસિયા (ફુૃ) અરજણભાઈ જાગાણી રાજુભાઈ હિરપરા વિગેરે લેઉવા પટેલ જાગૃતિ મંડળ ના સભ્યશ્રીઓ તેમજ ધોરાજી લેવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટના પ્રમુખ કિશોરભાઈ બાલધા ટ્રસ્ટી વસંતભાઈ બાબરીયા ધર્મેશભાઈ પટેલ નારણભાઈ દુધાત્રા ધોરાજી વકીલ મંડળના પ્રમુખ વી.વી.વઘાસીયા એડવોકેટ કાંતિભાઈ જાગાણી તેજાબાપા ટ્રસ્ટના પ્રમુખ આર.કે કોયાણી સહિત સમાજના આગેવાનો ટ્રસ્ટીશ્રીઓ તેમજ કિશોરભાઈ રાઠોડ ભરતભાઇ બગડા વિગેરે ૨૧માં સમૂહ લગ્ન મહોત્સવમાં નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા.

૨૪ નવદંપતીઓને લેઉવા પટેલ સમાજના અગ્રણીઓએ આશીર્વાદ પાઠવ્યા..

૨૧ માં સમૂહ લગ્ન મહોત્સવ માં કુલ ૨૪ નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડયા હતા જેમાં બપોરે ત્રણ કલાકે ચોવીસ જાનો ધોરાજી આવતા જેનું સમાજ દ્વારા ભવ્ય સામૈયા કરવામાં આવલ હતા. બાદ રાત્રીના ૮ કલાકે હસ્ત મેળાપ યોજાયો હતો અને સાંજના ૬ થી ૮ વાગ્યા સુધી ભોજન સમારંભ માં મોટી સંખ્યામાં લાભ લીધો હતો બાદ દાતાશ્રીઓનું તેમજ મહેમાનોનું સ્વાગત કરવામાં આવેલ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો