કોરોના વાયરસથી ટ્રમ્પની ઉડી ગઈ ઊંઘ, અમેરિકામાં 1 લાખ લોકોના મોતની ચેતવણી, વૈજ્ઞાનિકો માટે પણ પડકાર છે કોવિડ-19

ઘાતક હથિયારો અને મજબૂત અર્થવ્યવસ્થાના દમ પર સમગ્ર દુનિયામાં રોફ મારનાર અમેરિકા પણ કોવિડ-19ની સામે ઝઝૂમી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર તમામ કોશિશ કરી રહી છે પરંતુ સૂક્ષ્મ કોરોના કંટ્રોલમાં નથી આવી રહ્યો. જેના કારણે હવે સ્થિતિ એવી છે કે અમેરિકા દુનિયાનો સૌથી વધારે સંક્રમણ ધરાવતો દેશ બન્યો છે. અમેરિકામાં એક લાખ કરતા વધારે પોઝિટિવ કેસ નોંધાયા છે. આ મેડિકલ પડકારની સામે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પણ લાચાર જોવા મળ્યા છે. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઈન્ફેક્શન ડિસિઝ (NIAID)ના ડિરેક્ટરે જે અનુમાન દર્શાવ્યું છે. તેનાથી જ ખબર પડે છે કે કોરોના વાયરસ ટ્રમ્પ સરકારની હાલત ખૂબ જ ખરાબ કરશે.

NIAIDના ડિરેક્ટર ડૉ.એન્થની ફૌસીનું આકલન ડરાવનાર છે. તેમણે જણાવ્યું કે અમેરિકામાં થોડા જ દિવસોમાં લાખો લોકો કોવિડ 19ની ઝપેટમાં આવી જશે. આ વાયરસ એક લાખ કરતાં વધારે લોકોનાં મોતનું કારણ બની શકે છે. નોંધનીય છે કે અમેરિકાની રાજધાની ન્યૂયોર્કમાં સૌથી વધારે કોરોનાનો પ્રકોપ છે. આ શહેરમાં સંક્રમણના હજારો કેસ છે પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે હજુ ન્યૂયોર્કને ક્વોરન્ટિન કરવાનો નિર્ણય લીધો નથી.

દુનિયાના સૌથી શક્તિશાળી દેશમાં કોરોનાના રવિવાર સુધી 1.3 લાખ કેસની પુષ્ટિ થઈ ચૂકી છે અને 2300થી વધારે લોકોના મોત થયા છે. જ્યારે અમેરિકા પછી ઈટાલી અને સ્પેનમાં મૃત્યુદર વધ્યો છે. આ બન્ને દેશો બીજા વિશ્વ યુદ્ધ પછી સૌથી મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યાં છે. ડોક્ટરો પાસે સીમિત સંસાધનોથી દર્દીઓની સારવાર ઉપરાંત કોઈ વિકલ્પ નથી.

અમેરિકાના ગામડાઓમાં પહોંચ્યુ કોરોના

સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં કોરોનાથી 31 હજાર લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં આ વાયરસ ડેટ્રોયટ, ન્યૂ ઓરલિંસ અને શિકાગોમાં પોતાની પકડ જમાવી ચૂક્યો છે. ત્યાં સુધી કે અમેરિકાનો ગ્રામ્ય વિસ્તાર પણ વાયરસથી બચ્યો નથી. એક્સપર્ટ્સનું કહેવું છે કે કોરોના વાયરસથી મૃત્યુદર વધારે છે, કારણકે અનેક દેશના રાજનૈતિક નિર્ણયોના કારણે હજુ નક્કી નથી થયું કે કયા શબ ગણવા અને કયાં નહીં. જેમ કે અમેરિકા, ફ્રાંસ અને ઈટાલી નર્સિંગ હોમ અને ઘરમાં થયેલા મોતને ગણતાં નથી.

બ્લડ પ્લાઝમા તરકીબથી કોરોનાની સારવાર કરવામાં લાગ્યું US

વૈશ્વિક મહામારીની સામે લડવા માટે દરેક દેશ પોતપોતાની રીતે કોશિશ કરી રહ્યાં છે. અમેરિકન ડોક્ટર્સ પણ બ્લડ પ્લાઝમા રીતથી કોરોનાની સારવાર કરવાની કોશિશ કરી રહ્યાં છે. અમેરિકાના હ્યુસ્ટનના એક હોસ્પિટલે કોવિડ-19થી સાજા થયેલા એક દર્દીનું લોહી ગંભીર રીતે પીડિત દર્દીને ચડાવ્યું છે

ઘાતક કોરોના વાયરસથી પીડિત થયા પછી બે અઠવાડિયાથી પણ વધારે સમય સારા સ્વાસ્થ્ય સાથે રહેલા એક વ્યક્તિએ બ્લડ પ્લાઝમાનું દાન કર્યું છે. વ્યક્તિએ આ બ્લડ પ્લાઝમા હ્યુસ્ટન મેથોડિસ્ટ હોસ્પિટલમાં ‘કોનવાલેસ્સેંટ સીરમ થેરાપી’ માટે આપ્યું છે. સારવારની આ રીત 1918 ના ‘સ્પેનિશ ફ્લૂ’ મહામારી સમયનો છે.

મેથોડિસ્ટ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના એક ચિકિત્સક વૈજ્ઞાનિક ડોક્ટર એરિક સલાજારે એક નિવેદનમાં કહ્યું કે,’કોનવાલેસ્સેંટ સીરમ થેરાપી એક મહત્વપૂર્ણ ઉપચારની રીત બની શકે છે કારણકે સહાયક દેખભાળ ઉપરાંત અનેક રોગીઓને ઉપલબ્ધ કરવા માટે ઉણપ છે અને ચાલી રહેલા પરીક્ષણમાં સમય લાગી શકે છે.’

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો