સુરતમાં તક્ષશિલાની આગની દુર્ઘટનામાં મિતના મોતથી દિલીપભાઈ સંઘાણીએ એકનો એક જુવાનજોધ દીકરો ગુમાવ્યો..

સરથાણા જકાતનાકા ખાતે આવેલા તક્ષશિલા એપાર્ટમેન્ટમાં લાગેલી ભીષણ આગમાં 23 જીવ હોમાયા હતાં. મૃતકોમાં કોઈએ દીકરી તો કોઈએ બહેન તો કોઈએ ભાઈ ગુમાવ્યો હતો. પરંતુ નાના વરાછા ખાતે રહેતા દિલીપભાઈ સંઘાણી એ 17 વર્ષનો એકનો એક જુવાનજોધ દીકરો ગુમાવ્યો હતો. દીકરના મોતથી માતા-પિતાનું આક્રંદ ભલભલાના કાળજાને હચમચાવી મુકે તેવું હતું.

તમામ મૃતકોને ભાઈ બહેન જ્યારે મિત એકનો એક જ હતો.. મોત અગાઉ પિતાને ફોન કરી કહેલું કે દરવાજો ખુલતો નથી

ધૂમાડો શરીરે ચોંટી ગયો

નાના વરાછાની હરેકૃષ્ણ સોસાયટીના ઘર નંબર 18માં રહેતા દિલીપભાઈ સંઘાણી કાપડની દુકાન ચલાવે છે. મૂળ જામનગર જિલ્લાના ભલસાણ ગામના વતની છે. તેમનો દીકરો મિત ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. પરિવારમાં એકનો એક જ દીકરો હતો. સિવિલ ઈજનેર બનવાની મિતની ઈચ્છા હતી. પરંતુ ક્લાસીસની આગમાં ગૂંગળાઈને તેનો મૃતદેહ ઘરે આવતાં માતા પિતા સહિત હાજર સૌ કોઈએ કાળો કલ્પાંત કરી મુક્યો હતો.

પિતાને છેલ્લે ફોન કર્યો હતો

મિતે આગ લાગ્યા બાદ પિતા દિલીપ પટેલને ફોન કર્યો હતો. જેમાં તેણે કહેલું કે પપ્પા ક્લાસરૂમનો દરવાજો બંધ છે ખુલે એમ નથી. છેલ્લે બે વાર પિતા દિલીપભાઈ સાથે મિતે વાત કરી હતી. બાદમાં ગૂંગળામણમાં તેનો અવાજ નીકળ્યો નહોતો. ધૂમાડો તેના શરીરે ચોંટી ગયો હતો.

આ પણ વાંચજો..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો