ભરૂચ-દહેજ હાઈવે પર અંકલેશ્વરના વેપારીનો અકસ્માત, ઘટના સ્થળે 3 લોકોના કમકમાટીભર્યા મોત

રવિવારનો દિવસ ખરીદી કરવા જઈ રહેલા અંકલેશ્વરના વેપારી પર કાળ બનીને આવ્યો હતો. હોંશે હોંશે બજાર જવા નીકળેલા વેપારીને ભરૂચ-દહેજ હાઈવે પર અકસ્માત (accident) નડ્યો હતો. જ્યાં ઘટના સ્થળે જ ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, દહેજમાં દર રવિવારે રવિવારી બજાર ભરાય છે. જ્યાં આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. આ બજારમાં કપડાથી લઈને ઘરવખરીની ચીજો મળી આવે છે. તો વેપારના અર્થે પણ આ બજાર મહત્વનું બની જાય છે. ત્યારે અંકલેશ્વરના એક વેપારી આ બજારમાં જઈ રહ્યા હતા. ત્યારે ભરૂચ-દહેજ હાઈવે પર વેપારીની ગાડીને અકસ્માત નડ્યો હતો. તેમની પીક અપ વાનને ટ્રક સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે મોત થયા છે. તો અન્ય 3 લોકોની ઈજા પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. અકસ્માતની વધુ વિગતો હજુ આવી નથી.

અકસ્માતથી રસ્તા પર અરેરાટીના દ્રશ્યો જોવા મળ્યા હતા. મૃતદેહો આમતેમ ફંગોળાયેલા હતા. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા તાત્કાલિક પોલીસ દોડતી થઈ હતી. સ્થળ પર એમ્બ્યુલન્સ પણ આવી પહોંચી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો